Skip to content

આયુર્વેદિક દવાઓના નામ પણ જોઈએ છે.

10.26K viewsજાતિય મૂંઝવણadult sex problem Ayurveda Ayurveda Clinic Ayurveda Consulting ayurveda diet ayurveda doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda medicine ayurveda sex consulting ayurveda tips ayurveda treatment dr ayurveda Dr. Nikul Patel erection problem masturbation sex counselling sex education sex problem sexologist sexual health અથર્વ આયુર્વેદ ક્લિનિક અપરણિત યુવાન આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉકટર આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ દવાઓ આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ મેડિસીન આયુર્વેદ સલાહ આયુર્વેદ સેકસોલોજીસ્ટ આરોગ્ય સમસ્યા ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કામ સમસ્યા જાતીય મૂંઝવણ જાતીય સમસ્યા પંચકર્મ પુરૂષેન્દ્રિય સમસ્યા અને શિશ્ર્ન સમસ્યા યુવાનોની મૂંઝવણ લાઇફકેર આયુર્વેદ વીર્યવર્ધક દવાઓ વૈદ્ય નિકુલ પટેલ શીઘ્ર સ્ખલન સેકસ સંબંધની મૂંઝવણ સેકસ સમસ્યા સેક્સ સમસ્યા હસ્તમૈથુન

Share with:


હું 23 વર્ષ નો અપરિણીત યુવાન છું,હું 12 વરસ નો હતો ત્યારથી હસ્તમૈથુન કરુછું ,અને મારે ઉત્તેજનામાં કોઈજ ફરક પડતો નથી,12 વરસનો હતો ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય બીમાર પડ્યો નથી ,અને હું હસ્તમૈથુન વિશેની ખોટી માન્યતાઓમાં ક્યારેય ફસાતો નથી ,પણ મેં 3 વરસ પહેલા એક નવી તરકીબ અજમાવી હતી કે જયારે હસ્તમૈથુન દરમિયાન સ્ખલન થવા આવે ત્યારે હું હસ્તમૈથુન રોકી દેતો હતો અને જયારે શિશ્ન નોર્મલ અવસ્થામાં આવી જાય પછી હસ્તમૈથુન ફરીથી શરુ કરતો હતો ,આવું ત્રણથી ચાર વખત થાય પછી જ સ્ખલન કરાવતો હતો પણ ત્યારે મને પેટમાં દુખાવો થતો હતો એટલે મેં એ પ્રક્રિયા બંધ કરી દીધી હતી પણ હવે મને સ્ખલન થયા પછી તરતજ શિશ્ન નોર્મલ થઈજાય છે ,કદાચ લાંબા સમયથી એકની એક પ્રક્રિયા થી પણ આવું બનતું હોય, પણ તેથી હું ચિંતિત છું, મને યોગ્ય માર્ગ દર્શન આપવા વિનંતી,અને મારે વીર્યવર્ધક આયુર્વેદિક દવાઓના નામ પણ જોઈએ છે, માટે યોગ્ય સલાહ આપવા વિનંતી.

admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે

આપને હસ્ત મૈથુનની ઘણા સમયથી આદત છે અને તેમાં આપે જે સ્ખલન રોકવા માટે ના જે પ્રયત્નો કર્યા તેના કારણે જે પેટમાં દુઃખાવો થતો હતો અને તે પછી તે પ્રક્રિયા તમે બંધ કરી દીધી અને તે પછી તમને એવો વ્હેમ છે કે જ્યારે પણ તમે હસ્તમૈથુન કરો છો તે પછી સ્ખલન થયા પછી શિશ્ર્ન જે છે તે એકદમ નોર્મલ થઈ જાય છે. અહીં મારે તમને ખાસ એટલુ જ કહેવાનું છે કે એકવાર સ્ખલન થયા પછી શિશ્ર્ન નોર્મલ થવું એ તો સામાન્ય વાત છે અને તે નોર્મલ જ કહેવાય પણ વધારે પડતા હસ્તમૈથુન ને કારણે શિશ્ર્ન ની જે નસો જે છે તે નબળી પડતી હોય છે અને તે નબળી પડવાના કારણે થઈને તેની તકાત ઘટતી હોય છે અને જેથી કારણે હંમેશા આપણને એવુ લાગ્યા કરે કે મારી તાકાત ઓછી થઈ ગઈ છે અને તેવા સમયે વધારે પડતા હસ્તમૈથુન ના કારણે થનારો વીર્યનો જે ક્ષય છે તેને તમારે દૂર કરવા માટે વીર્યવર્ધક દવાઓ લેવી જોઈએ.
સામાન્ય રીતે દરેક પુરુષે યુવાવસ્થાની અંદર વાજીકરણ ઔષધો એટલે કે શુક્ર ધાતુ વધારનારા અથવા તો સેકસ શકિત વધારનારા ઔષધો લેવા જોઈએ, જેનો આયુર્વેદે હંમેશા ભલામણ કરી છે. જેના કારણે વીર્ય વધતુ હોય છે શુક્રની તાકાત વધતી હોય છે અને સાથે સાથે એ જાતીય શકિતમાં પણ વધારો થઈને એ જાતીય શકિત જળવાઈ રહેતી હોય છે.
આવા પ્રકારના જાતીય ઔષધો અથવા તો વીર્યવર્ધક ઔષધો બજારમાં ઘણા બધા મળતા હોય છે.છતા પણ તેની ગુણવત્તાની ખાતરી કરીને તે લેવા જોઈએ આ પ્રમાણે તે દવાઓ ૫ થી ૬ મહિના સુધી સળંગ ચાલુ રાખી શકો અને દર શિયાળામાં ત્રણ મહિના માટે લેવી જોઈએ.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. કૌચાપાક બે ચમચી સવાર – સાંજ.
૨. વાજીકરણ ચૂર્ણ ૧ ગ્રામ સવાર – સાંજ દૂધ સાથે
૩. વરદા ટેબલેટ બે ગોળી બે વાર
૪. સુવર્ણ મકરધ્વજ વટી એક ગોળી રોજ રાત્રે દૂધ સાથે

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsguj
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

admin Answered question July 30, 2020
Back to top
error: