નમસ્તે સાહેબ !
મારી ઉંમર ૩૮ વર્ષ છે અને મારા પત્ની ની ઉંમર ૩૫ વર્ષ છે અમારા દામ્પત્યજીવનને ૧૫ વર્ષ થયા છે, અત્યાર સુધી તો કોઇ તકલીફ ન હતી પણ હવે ક્યારેક સમાગમ કરતી વખતે તકલીફ પડે છે તેથી દામ્પત્ય જીવનમાં કામોત્તેજના વધે અને પુરુષની સ્તંભન શક્તિવધે તેના કોઇ ઉપાય અને ખાસ આહાર વિશે માર્ગદર્શન આપશો.
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
નમસ્તે !!
આપને જે સમસ્યા છે તે આવા સંજોગોમાં મોટાભાગનાં દંપતીમાં વધતા – ઓછા અંશે જોવા મળે જ છે. ઉંમર વધવાને તથા આકર્ષણ ઘટવાને કારણે જાતિય જીવનમાં યુવાની જેવો જોમ અને ઉત્સાહ રહેતો નથી. કૌટુંબિક જવાબદારી વધવાને કારણે પણ આ તરફ ધ્યાન ઘટતું જતું હોય છે, આવા સંજોગોમાં થોડી મુશ્કેલી રહેવાની શક્યતા જરૂર છે.
તેમ છતાં સેક્સ નિવૃત્તિની કોઇ ઉંમર હોતી નથી. અને તેનો આધાર સામાજિક જીવન, માનસિક સ્વસ્થતા, યોગ્ય વાતાવરણ, સામાન્ય તંદુરસ્તી અને જાતિય આકર્ષણ આ બધા પર રહેલો છે અને તેથી તે બધા નો સરવાળો કરીએ ત્યારે જ ખબર પડે કે આપણે હવે કેટલું પામી શકીશું. તેમ છતાં તેમાં યોગ્ય આહાર અને જરૂર પડ્યે શુદ્ધ આયુર્વેદિક – આડઅસર વિનાની – યોગ્ય માધ્યમ એટલે કે પ્રમાણિત વૈદ્ય પાસેથી લીધેલ હોય તો જ તે કામનું છે.
આપની સમસ્યામાં સૌથી પહેલા તો કામોત્તેજના એ શારિરીક ઓછી અને માનસિક વધારે તેવી અવસ્થા છે. પરસ્પર એકબીજા માટેનું આકર્ષણ અને એકબીજા માટેની ઉત્કટતા તેમાં વધારે ઉપયોગી નિવડે છે અને રહી વાત લાંબા સમય સુધી સ્તંભન ટકાવી રાખવાની … તો તે શક્ય છે યોગ્ય આહાર અને સાથે યોગ્ય રીતે લેવાયેલ વાજીકરણ શક્તિ વધારનારા ઔષધોથી.
આજકાલ બજારમાં પુરુષ શકિત વધારનારાં ઔષધોનો રાફડો ફાટ્યો છે અને જો તમે કેમિસ્ટ પાસે જઇને માંગો તો ઢગલો કરી દે છે, આવા સંજોગોમાં તમને લાભ થશે કે નહિં તે તો ખબર નથી પણ તે કેમિસ્ટ અને દવા બનાવનાર ને જરૂર ફાયદો થશે. સામાન્ય રીતે આ પ્રકારની દવાની ગુણવત્તા અને ઉપયોગિતા માટે હંમેશા પ્રશ્ન રહે જ છે અને આ પ્રકારની દવાઓ સીધે-સીધી કોઇ ફાર્મસી – જાહેરાત કરીને બજારમાં વહેંચી ન શકે તે માટે ઔષધ નિયમન તંત્ર જાગૃત જ છે.
અમુક પ્રકારના ઔષધ વૈદ્ય જાતે જ બનાવીને વાપરતાં હોય છે અથવા તો ફાર્મસી એ માત્ર વૈદ્યને જ વેચી શકે છે, તેથી આ બાબતને ધ્યાનમાં લેવી હિતાવહ છે.
ઔષધ માટે તો આપે યોગ્ય આયુર્વેદ કન્સલ્ટન્સ્ટ નો જ સંપર્ક કરવો રહ્યો. આપ ઓનલાઇન કન્સલ્ટીંગ દ્વારા ઔષધ મંગાવી શકો છો.
આહાર માટે..
સૂકોમેવો, દૂધ,ઘી, માખણ એ વધારે હિતકર છે.
અડદીયા પાક અને શિયાળામાં બનાવવામાં આવતા વસાણાં પણ જાતિય શક્તિ વધારે છે.
કૌચાપાક જેવા વિવિધ પાકો પણ ઉપયોગી છે.
અશ્વગંધા અને શતાવરી ના ચૂર્ણથી બનાવેલ શીરો પણ ખાઇ શકાય.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps