Skip to content

મધ, લીંબુ અને ગરમ પાણી વિષેની માન્યતા અને કબજિયાત

16.78K viewsઆયુર્વેદAyurveda Ayurveda Clinic Ayurveda Consulting Ayurveda Doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda medicine Ayurveda QA ayurveda tips ayurveda treatment dr ayurveda Dr. Nikul Patel online ayurveda free consulting અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આયુર્વેદિક દવાઓ આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા ઉત્તર બસ્તિ એસિડીટી ઓડકાર ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કટિબસ્તિ કબજિયાત જાનુબસ્તિ કર્મ નસ્ય કર્મ પંચકર્મ પેટના રોગો પેટમાં બળતરાં પ્રાણાયામ બસ્તિકર્મ મધ મસા યોગાસન લાઇફકેર આયુર્વેદ લીંબુ પાણી વમન કર્મ વિરેચન કર્મ વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ

Share with:


શ્રીમાન વૈદ્ય શ્રી નિકુલભાઇ,

1. મને કબજિયાતની તકલીફ છે અને આ અંગે મને એક હોમિયોપેથીક ડોક્ટર દ્વારા સવારે હુંફાળા ગરમ પાણીમાં બે ચમચી મધ અને એક લીંબુના રસ ઉમેરીને લેવાની સલાહ આપવામાં આવી હતી. જે લેવાની મેં શરૂઆત કરી અને લગભગ એમ મહિનાના સમયગાળામાં મને સામાન્ય આરામ પણ થયો.

હવે અહીં પ્રશ્ન એ છે આપના અન્ય કોઇ દર્દીને આપવામાં આવેલા એક જવાબમાં એવું વાચ્યું હતું કે મધને લીંબુ કે ગરમ પાણી સાથે ક્યારેય ન લેવું જોઇએ. આથી હવે હું મૂંઝવણમાં છું હું હોમિયોપેથીક ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહ અનુસાર ગરમ પાણી અને લીંબુ સાથે લેવાનું ચાલુ રાખું કે પછી બંધ કરી દઉ.

મારી ઉંમર 28 વર્ષની છે અને લગભગ 6 વર્ષ પહેલા મને મસા થયા હતા, જે ક્ષારસૂત્ર પદ્ધતિ દ્વારા મેં કઢાવ્યા હતા. આથી હવે મને કબજિયાત ન થાય તે ખૂબ જ જરૂરી છે.

2. લગભગ એક અઠવાડિયા પહેલા થોડું વધારે તીખું શાક ખાઇ લીધા બાદ મને ખૂબ જ તીખો ઓડકાર આવ્યો હતો અને તે કારણે ગળામાં લગભગ અડધા કલાક સુધી બળતરા થઇ હતી. તે દિવસથી મને પેટમાં બળતરા થઇ રહી છે. શું તે એસિડીટી હોઇ શકે.? તે દિવસથી હું રોજ રાત્રે ઠંડા દૂધમાં ઇસબગુલ ઉમેરીને પીવું છે ત્યારે થોડા સમય સુધી રાહત રહે છે. પરંતુ જમ્યા બાદ બળતરા થવાની શરૂ થઇ જાય છે. દિવસ દરમિયાન ક્યારેક ખાટા ઓડકાર પણ આવી જાય છે.

આથી હું આપને વિનંતી કરૂ છું કે આપ મને યોગ્ય રસ્તો સૂચવશો. હું મારી જીવનશૈલીમાં પણ યોગ્ય ફેરફાર કરવા માટે તૈયાર છું. તો ઉપરોક્ત બંને સમસ્યાને દુર કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવા આપને વિનંતી છે.

admin Changed status to publish August 3, 2020

Share with:


નમસ્તે તેજસભાઇ !!
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
આપના પ્રશ્નના ઉત્તર આ મુજબ છે.

૧. મેં આપેલ ગરમ પાણીમાં મધ અને લીંબુ ન લેવુ જોઇએ તે સંદર્ભ એ વજન ઘટાડવા માટે કરવામાં આવતા નુસ્ખા માટેનો છે અને આયુર્વેદના મત અનુસાર વજન ઘટાડવા માટે સાદા પાણીમાં માત્ર બે ચમચી મધ નાંખીને જ લેવું યોગ્ય અને હિતકારક છે. આયુર્વેદશાસ્ત્ર પ્રમાણે મધને ગરમ ન કરવું જોઇએ કારણ કે તેમ કરવાથી તેમાં રહેલા તત્વો એ ફાયદો કરવાને બદલે નુકશાન કારક બની શકે છે અને તે એક પ્રકારના ઝેર (ખરાબ તત્વ) તરીકે કામ કરતું હોય છે અને એ જ કારણ પણ હોઇ શકે કે તે તમને ઝાડા કરાવવા તરીકે કામ આપે છે. હકીકતમાં તે તેની સાઇડ ઇફેક્ટ છે; નહિ કે તે કબજિયાત દૂર કરે છે. ભવિષ્યમાં તમને ઝાડાનો પ્રશ્ન પણ ઉદ્ભવી શકે.

બીજું એ કે રોજ ગરમ પાણીમાં મધ અને તેમાં લીબું નાંખવુ. દરરોજ આવી રીતે લિંબુ લેવાને કારણે ભવિષ્યમાં સાંધા જકડાઇ જવા અને સાંધાનો વા થવો જેવી તકલીફો ઘણાં બધાં લોકો ને વેઠતા મેં મારી પ્રેક્ટિસમાં જોયા જ છે. અને તેનાં દૂરના ભવિષ્યના જોખમોનો ચોક્કસ વિચાર કરવો જોઇએ.
આ રીતે જો વિચાર કરીએ તો આ પ્રયોગ તમારે બંધ કરી દેવો જોઇએ અને તેના માટે તમારે તમને માફક આવે તે માત્રામાં એરંડ ભૄષ્ટ હરીતકી ચૂર્ણ કે હરીતકી ચૂર્ણ અથવા ત્રફ્લા અને ઇસબગુલ સાથે લેવું જોઇએ.
૨. આપે જે તકલીફ વર્ણવી છે તે એસીડીટી કહી શકાય પણ આયુર્વેદની ભાષામાં તે અમ્લપિત્ત તરીકે લેવું જોઇએ અને તેમાં ઇસબગુલ અને દૂધ તમને થોડો સમય જ રાહત આપી શકે. પણ કાયમી રાહત માટે ઓગ્ય સારવાર કરાવવી સારી રહે. આ તકલીફ જો લાંબો સમય રહે તો પણ તમને ફરીથી પાઇલ્સ ની તકલીફ થઇ શકે છે.
નીચે મુજબ ઔષધો શરૂ કરી શકાય અને યોગ્ય જણાય તો આપ ફોન કે ઇમેઇલ દ્વારા કન્સલ્ટીંગ કરાવી ને દવા પણ કુરિયરથી મંગાવી શકો છો.
.૧ અમ્લપિત્તહર ટેબલેટ ૨ ગોલી ૨ વાર
૨. અવિપત્તિકર ટેબલેટ બે ગોળી બે વાર
૩. પ્રવાલ પંચામૃત ટેબલેટ ૧ ગોળી બે વાર
૪. સિરપ ACITRA ૩ – ૩ ચમચી ત્રણ વાર બરાબર હલાવીને લેવું.

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. શિરોધારા કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ – અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top