Skip to content

સોળ સંસ્કાર શું છે? – sol sanskar su che ?

Solved15.41K viewsગર્ભ સંસ્કારAyurveda Consulting ayurveda medicines garbha sanskar sanskar અગ્નિ સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી ઉપનયન સંસ્કાર ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કર્ણવેધ સંસ્કાર કર્ણવેધન સંસ્કાર કેશાન્ત સંસ્કાર ગર્ભ સંસ્કાર ગર્ભસંસ્કાર ગર્ભાધાન જાતકર્મ સંસ્કાર દિવ્ય સંતતિ દૈવી સંતતિ દૈવી સંતાન નામકરણ સંસ્કાર નિષ્ક્રમણ સંસ્કાર પુંસવન સંસ્કાર ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિ વપન (ચૂડાકર્મ) સંસ્કાર વિવાહ સંસ્કાર વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર વેદારંભ સંસ્કાર વૈદિક સંસ્કાર વૈદિક સંસ્કૃતિ વૈદ્ય વૈદ્ય નિકુલ પટેલ શ્રેષ્ઠ સંતતિ ષોડશ સંસ્કાર સમાવર્તન સંસ્કાર સંસ્કાર સંસ્કાર સિંચન સીમન્તોન્નયન સંસ્કાર સોળ સંસ્કાર

Share with:


નમસ્તે સાહેબ.

સોળ સંસ્કાર શું છે? તેની માહિતી ક્યાંથી મળી શકે? તેના માટે કોઈ કોર્સ હોય તો જણાવશો. બહારગામ રહેતા હોઈએ તો ઓનલાઇન કોર્સ કરી શકાય? ક્યારથી કરી શકાય. તેના માટે કેવી રીતે સંપર્ક કરવો. વિગતવાર જણાવશો.

Question is closed for new answers.
admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
ભારતીય સંસ્કૃતિ એ આદર્શ સમાજજીવનની દ્યોતક છે. આદર્શ પુરૂષ, આદર્શ પરિવાર અને આદર્શ સમાજ ની સાથે સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું બીજારોપણ પેઢી દર પેઢી થાય તેના માટે સતત જાગૃત એવી આપણી આ ભારતીય સંસ્કૃતિ છે. આદર્શ ભારતીય જીવન પ્રણાલીની પાછળ રામ-કૃષ્ણ જેવા અવતારો અને મનુથી શરૂ કરીને વશિષ્ઠ, વાલ્મિકી, પરાશર, વિશ્વામિત્ર, યાજ્ઞવલ્ક્ય જેવા તપોનિષ્ઠ ઋષિઓના જીવનોનાં યોગદાન રહ્યાં છે. ભારતીય જીવનપ્રણાલીમાં આદર્શ જીવન માટેનો આગ્રહ પણ એટલો જ પ્રત્યેક પરિવારમાં હતો, અને તેનું જ તો પરિણામ વ્યક્તિમાં, પરિવારમાં અને સમાજમાં જોવા મળતું હતું. જે આજે પણ જીર્ણ અવસ્થામાં જીવંત રહ્યું છે તેનું કારણ એ જ કે એ સંસ્કારો આજે પણ રંગસૂત્રોમાંથી નીકળી શકતાં નથી.

આ જ કારણે આજે પણ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જેને આદર છે અને સંસ્કારોનું જેને મન મહત્વ છે અને તેને પ્રાપ્ત કરવા માટે થોડું વેઠવાની અને માનસિક રીતે તૈયાર રહેવાની જેની તૈયારી છે તેના નવદંપતિ માટે આશીર્વાદ રૂપ બની રહે તે અર્થે આ પોસ્ટ અર્પણ કરી રહ્યો છું.

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મનુષ્ય યોનિમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ પર થનારા વિવિધ સંસ્કારોનું આપણાં ધર્મગ્રંથોમાં અલગ – અલગ રીતે સુપ્રયોજિત વર્ણન કરેલ છે અને તેના માટેનો સુસ્પષ્ટ આગ્રહ પણ છે. જન્મપૂર્વેથી એટલે કે ગર્ભસંસ્કારથી શરૂ કરીને મૃત્યુ સુધીના તમામ સંસ્કારો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આ ત્રણેય બાબતોને ઉજાગર કરે છે અને તેથી જેને મન મનુષ્ય જન્મનું મહત્વ છે અને જે આગળની પેઢીમાં એક સંસ્કાર સિંચનને મહત્વ આપે છે; તેવા જાગૃત પતિ-પત્નિ માટે જ આપણાં ઋષિઓ એ આ ભાથું આપેલું છે.

આ તમામ સંસ્કારો પૈકી કેટલાંક સંસ્કારો પાછળ આયુર્વેદનો આરોગ્યને લઇને એક વિશેષ દ્રષ્ટિકોણ રહેલો છે અને તેથી જ આ બાબતે બધું વિસ્તારપૂર્વક સમજવું એ આપણી પ્રાથમિક આવશ્યકતા છે. આ બધા સંસ્કારોની પદ્ધતિ, રિવાજ, સંખ્યા એ બધામાં વિસ્તાર પ્રમાણે થોડો-ઘણો ફરક હોઇ શકે છે અને તે રીતે જોતા તે માત્ર સોળની સંખ્યામાં જ ન રહેતાં તેનાથી વધારે છે. પણ આંકડામાં ન પડતાં તેની પાછળનો હેતુ, સમજ અને પદ્ધતિ ને આપણે ધ્યાનમાં લેવી જોઇએ.
હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કાર આ પ્રમાણે છે.
1. ગર્ભાધાન સંસ્કાર
2. પુંસવન સંસ્કાર
3. સીમંતોન્ન્યન સંસ્કાર
4. જાતકર્મ સંસ્કાર
5. નામકરણ સંસ્કાર
6. નિષ્ક્રમણ સંસ્કાર
7. અન્નપ્રાશન સંસ્કાર
8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર
11. વેદારંભ સંસ્કાર
12. કેશાન્ત સંસ્કાર
13. સમાવર્તન સંસ્કાર
14. વિવાહ સંસ્કાર
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
16. અગ્નિ સંસ્કાર

 

– આપ બહારગામ રહેતા હોવ તો પણ આપ ઓનલાઇન કોર્સ દ્વારા સોળ સંસ્કાર અને ખાસ કરીને ગર્ભ સંસ્કારનું માર્ગદર્શન મેળવી શકો છો. અને તેના માટે આપ અમારા નીચેના સંપર્ક પર ફોન, ઇમેઇલ કે વૉટ્સએપ દ્વારા સંપર્ક કરી શકો છો.
– આ કોર્સ માટે ખાસ કરીને ગર્ભ રાખવાનાં બે મહિના પહેલાં જ શરૂ કરો તે વધારે સારૂં છે અને તે સિવાય ગર્ભાવસ્થા બાદ ગમે ત્યારે પણ શરૂ કરી શકો છો.

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top