Skip to content

સ્તનપાન વિશે જાણકારી જોઈએ છે?

Share with:


નમસ્તે સર
અકાળે ધાવણ છોડાવવું છે. તો તે માતા અને બાળક માટે નુકસાનકારક ખરું? ફેશન અને શરમને કારણે ઘણી બહેનો પોતાનાં બાળકોને ધવરાવતી નથી અને વહેલું છોડાવી દે છે તો તેના લાભાલાભ વિષે માર્ગદર્શન આપશો?

admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપનો પ્રશ્ર્ન એ ખૂબ જ અગત્યનો છે. મા અને બાળક વચ્ચે નો સંબંધ માતાના ધાવણ થકી છે. માનું ધાવણ એ બાળકને પુષ્ટ કરનારુ છે. આયુષ્ય આપનારુ છે. રોગપ્રતિકારક ક્ષમતા વધારનારુ છે. પોષણ આપનારું છે. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો એ બાળકો માટે અમુક ઉંમરની દ્રષ્ટિએ માતાનું સ્તનપાન એ ખૂબ જ જરુરી છે. માતા જો બિમાર ન હોય એટલે કે સ્વસ્થ હોય તો માતાનું દૂધ તે ત્રિદોષશામક એટલે કે ત્રણ દોષ વાયુ પિત્ત કફનું શમન કરનારા છે. તે બળ આપનાર છે. આંખોનું તેજ વધારનાર છે. સૌથી મહત્વની વાત એ છે કે તે બાળકને તૃપ્ત કરનાર છે. આયુર્વેદ્માં તો એટલે સુધી કહ્યું છે કે જો માતા અસ્વસ્થ હોય અથવા તો માતાનું મૃત્યુ થયુ હોય ત્યારે તેના જેવા જ સ્વાભાવવાળી સ્વસ્થ એ ધાત્રી અથવા તો આયાનું ધાવણ એ આપવું જોઈએ.
પ્રશ્ર્ન એ છે કે અકાળે ધાવણ છોડાવવું તે માતાને બાળક માટે નુકશાનકારક ખરુ? તો બાળક માટે તો ચોક્કસ નુકશાનકારક છે. તે તો ઉપરના ફાયદા પ્રમાણે આપણને ધ્યાનમાં આવે પણ માતા માટે
પણ તે નુકશાનકારક છે. ઘણા બધા સંશોધનના અંતે એવું પણ ધ્યાનમાં આવે છે. એ જે સ્ત્રીઓ ઓછુ સ્તનપાન કરાવે છે અથવા તો વહેલા ધાવણ મૂકાવી દે છે. નોકરીના કારણે સમય ના મળવાને કારણે અથવા તો પોતાનું સૌંદર્ય જાળવવા માટે થઈને આમાના કોઈપણ કારણો હોઈ શકે. સિવાય કે તે બિમાર હોય પણ અકાળે કે વહેલા ધાવણ છોડાવાથી સ્તન માં ગાંઠ્ થવાના અથવા તો સ્તન કેન્સર થવાના ચાન્સ વધી જાય છે. સ્તન ની અંદર ધાવણ ભરાવવાથી દુખાવો થવો સોજો આવવો ધાવણ લાવાનારી નળીઓની અંદર ધાવણ ભરાઈ જવાથી તેમાં ગાંઠ બનવી.

આ બધુ નુકશાન તો છે ફેશન કે શરમને કારણે થઈને પોતાના બાળકને ન ધવરાવવા આ માતૃવાત્સલ્યની ફરજમાંથી દૂર થવા જેવી વાત છે.

એકરીતે જોઈએ તો બાળકના જન્મથી જ માતૃત્વ પેદા થાય છે. અને ભગવાને એવી વ્યવસ્થા ગોઠવી છે. કે જેવો બાળકનો જન્મ થાય ત્યારે વાત્સલ્યનું પૂર એ બંને સ્તનોમાં દૂધ દ્વારા વહીને આવતું હોય છે. તેવા સમયે તે વાત્સલ્યનું ઝરણું એ પોતાના બાળકને એ પ્રાપ્ત થાય તેવા વાત્સલ્ય ભાવથી માતા અને બાળકના વચ્ચેના સંબંધના ભાવથી જો જોઈએ તો તે માતા અને બાળક વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ બનાવનારુ છે.તેથી સ્તનપાન ન છોડવામાં જ ફાયદો છે.

દુનિયામાં અનેક વિધ પ્રયોગો કરીને સાબિત કરવામાં આવ્યું છે કે માતા પાસેથી માત્ર તેનું ધાવતુ બાળક જો ઝુટવી લેવામાં આવે તો તેને બાળકને સ્તનપાન કરાવવાની ના પાડવામાં આવે તો માતાના સ્વાભાવમાં ત્યાગ ઉદારતા સમર્પણ સહનશીલતા પ્રેમ, વાત્સલ્ય આ બધા ઓછા થતા હોય છે. અને આ બધુ જ જોઈએ તો સ્તનપાન વહેલા બંધ કરવું તે સૌંદર્ય કરતા માનસિક સૌંદર્ય ને વધારે નુકશાન કરે છે પોતાના સ્ત્રીત્વ અથવા તો માતૃત્વને પણ ખૂબ જ નુકશાન કરે છે. બાળકને મળનારું પોષણ તે તો બાદ જ થઈ જાય છે.

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top