Skip to content

kabijiyat ane acidity. – કબજિયાત અને એસીડીટી

17.08K viewsકબજિયાતAyurveda Ayurveda Clinic Ayurveda Doctor Ayurveda QA અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ ઈન્ડિયા આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડાયેટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ તપાસ આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ પ્રોડક્ટ આયુર્વેદ મસાજ આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ યોગા આયુર્વેદ વેબસાઈટ આયુર્વેદ સલાહ આયુર્વેદ સારવાર આયુર્વેદ સ્વાસ્થ્ય ટીપ્સ અકસીર આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય આયુર્વેદિક ડૉકટર આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક પધ્ધ્તિથી વજન ઓછું કરવું આયુર્વેદીક સારવાર આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યમ્ ઈન્ડિયન દવાઓ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કાયમી ઉપચાર કાયમી સારવાર કેરેલા આયુર્વેદ ગુજરાત ગુજરાતી આયુર્વેદ ટવીટર ડાયાબિટીશ આયુર્વેદિક દવાઓ નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ ફેસબુક ભારતમાં આયુર્વેદ મફત મેસેજ મફત સ્વાસ્થ્ય લાઈફકેર વૈદ્ય નિકુલ પટેલ વ્હોટ્સઅપ સ્વદેશી ચિકિત્સા સ્વાસ્થ્ય રક્ષા

Share with:


I am c.a. final student. My age is 23 years. i have a constipation problem since last 10- 12 years. my nature is isolated & reserve. From last 1 year I have many problems of stomach, including gastric, acidity, digesting & constipation is a routine problem. I am also pranayama 20 minutes almost 5 days in a week. Now 2 months are pending in my exams. I worked for 12-13 hrs each day. But due to above probs. i m not able to do much work. Recently before 1 month i met one gastro doctor who suggests me to walk at night after dinner. my weight till today is 46 kg. My weight is reducing from last 1.5 year almost 8 kgs. Also some medicines he gave me including issabgul. He told i have digesting problems. My all reports of stomach are normal including sonography &X-ray.Now it is very crucial time for me for my carrier. Please suggest how i can prevent these problems during my examination 90 days so i more concentrated on my study. Please doctor help.

નમસ્તે સાહેબ, હું સી.એ. ફાઇનલ વિદ્યાર્થી છું.. મારી ઉંમર ૨૩ વર્ષ છે. મને છેલ્લા દસ – બાર વર્ષથી કબજિયાતની તકલીફ છે. મારો સંકોચશીલ અને એકલતાવાળો સ્વભાવ છે. છેલ્લાં એક વર્ષથી મને એસિડીટી, ગેસ, પાચન અને કબજિયાત જેવી પેટની અનેક સમસ્યાઓ રહે છે. હું દરરોજ ૨૦ મિનિટ અઠવાડિયામાં પાંચ દિવસ પ્રાણાયામ કરું છું અને હવે મારી પરિક્ષાને માત્ર ૨ મહિના જ બાકી છે. હું દરરોજ ૧૨-૧૩ કલાક અભ્યાસ કરું છું. પણ આ બધા પ્રોબ્લેમ ને કારણે હું વધારે અભ્યાસ કરી શકતો નથી. હમણાં જ એક મહિના પહેલાં હું એક ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ ને મળ્યો અને તેમણે મને રાત્રે જમ્યા પછી ચાલવા જવાનું સૂચન કર્યું. આજે પણ મારું વજન માત્ર ૪૬ કિલો જ છે. આ દોઢ વર્ષમાં મારું વજન ૮ કિલો ઘટી ગયું છે. તેમને મને ઇસબગુલ અને બીજી દવાઓ આપી છે, અને મને પાચનને લગતી સમસ્યા છે તેવું મને કહ્યું છે, પણ મારા બધાં રિપોર્ટ, સોનોગ્રાફી અને એક્સ-રે બધું જ નોર્મલ આવે છે. મારાં માટે મારી કારકિર્દીની આ એકદમ નાજુક ક્ષણો છે.
આપશ્રીને વિનંતી છે કે મને આ સ્થિતિમાંથી બહાર આવવાનો રસ્તો અને યોગ્ય ઉપચાર બતાવો કે જેથી હું આ સ્થિતિમાંથી ૯૦ દિવસમાંથી બહાર આવી જાઉં અને હું મારા અભ્યાસ અને પરીક્ષામાં સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકું. આભાર સહ આપનો જપન પરીખ.

admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે આપને ગેસ, એસિડિટી, પાચનની તકલીફ અને પેટની સમસ્યાઓ છે જેને કારણે તમને કબજીયાત પણ રહે છે. અને કબજીયાત રહેવાના કારણે તમારુ ધ્યાન હંમેશા પેટ તરફ જ રહેતુ હોય છે. જે તમને ડિપ્રેસ ( ચિંતિત) કરે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપે ઘણા બધા ડૉકટરને પણ બતાવ્યું છે. રાત્રે જમ્યા પછી ચાલવાનો પણ પ્રયત્ન કરો છો. વજન પણ ઘટી ગયુ છે. ઈસબગુલ જેવી અન્ય ઘણી બધી દવાઓ લેવા છતાં પણ તમને કોઈ ફરક પડતો નથી. રીપોર્ટસ બધા નોર્મલ આવે છે. જેને કારણે થઈને તમને ટેન્સન પણ વધી ગયું છે. આ બધી સમસ્યાઓમાંથી બહાર આવવા માટે તમે દરરોજ નિયમિત પ્રાણાયમ પણ કરો છો પણ સાથે સાથે પરીક્ષાનંણ ટેન્સન પણ આપને રહ્યા કરે છે.

જપન ભાઈ આપની આ સમસ્યાઓમાંથી બહાર આવવા માટે સૌથી મહત્વની વસ્તુ તો એ જ છે કે આપે આપની પાચન શકિતને વધારવી પડશે અને પાચન શકિત વધારવા માટે તમારે નીચેની વસ્તુઓને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.

૧. સવારે નિયમિત વહેલા ઉઠવું. ઉઠીને ઓછા નામે ૨૦-૨૫ મિનિટ ઝડપથી ચાલવા જવું.
૨. ૧૫ મિનિટ પ્રાણાયમ કરો.
૩. ખોરાક નિયમિત લો.
૪. સમયસર સૂવાનુ, સમયસર જમવાનુ, સમયસર વહેલા ઉઠવાનુ આ જેટલું તમે કરી શકશો તેટલું વધારે સારુ તમારું પાચન ગોઠવી શકશો.

પરીક્ષા હોય કે ન હોય સામાન્ય રીતે ૬ થી ૭ કલાક તમારે નિયમિત ઊંઘ લેવી જ જોઈએ પણ પરીક્ષાના બહાને અથવા પરીક્ષાના નામ હેઠળ ઘણી વાર રાત્રે ઉજાગરા થતા હોય અને દિવસે ઊંઘ લેતા હોય તો તે ના કરતા. તમે રાત્રે જ ઊંઘ લો સવારે વહેલા ઉઠીને વાંચવાનું રાખો અને રાત્રે વહેલા સૂઈ જવાનું રાખો. તો પણ તમારી આ સમસ્યા ઘણી હળવી થશે. બીજી વાત બહુ મહત્વની છે કે તમને તમારા મનમાં ખૂબ જ ગંભીર બિમારી થઈ છે તે કાઢી નાખો; માત્ર ને માત્ર પાચન ની સમસ્યાઓ છે ને પાચન ની સમસ્યાના કારણે તમને આ બધા જ પ્રશ્ર્નો થાય છે જે આયુર્વેદિક દવાથી તમે સુધારી શકશો.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. ચિત્રકાદિ વટી બે ગોળી બે વાર જમ્યા પછી.
૨. અવિપતિકર ટેબલેટ બે ગોળી બે વાર
૩. લવણભાસ્કર ચૂર્ણ જમ્યા પછી છાશ સાથે એક ચમચી.
૪. મેધ્ય રસાયણ ટેબલેટ બે ગોળી બે વાર
૫. ગેસ્ટ્રોન સિરપ ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર
૬. એરંડ ભૃષ્ટ હરિતકી ચૂર્ણ રાત્રે સૂતી વખતે એક ચમચી હૂંફાળાં પાણી સાથે.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. શિરોધારા કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top