Skip to content

શિશ્નમણિને જોડતી ચામડી હસ્તમૈથુન કરતી વખતે ફાટી ગઈ

Share with:


મારા શિશ્નના ઉપરના ભાગ એટલે કે શિશ્નમણિને જોડતી ચામડી હસ્તમૈથુન કરતી વખતે ફાટી ગઈ. થોડું લોહી પણ નિકળ્યું હતું અને હજુ મને જ્યારે પણ ઉત્થાન થાય છે ત્યારે દુઃખાવો થાય છે. હવે હસ્તમૈથુન કરતાં ડર લાગે છે. શું હું લગ્ન પછી સમાગમ કરી શકીશ? બહુ ટેન્શન થાય છે યોગ્ય ઉપાય બતાવશો.

ઉંમર – ૨૪ વર્ષ – સુરત

Question is closed for new answers.
admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
નમસ્તે !!
આપની સમસ્યા એ શિશ્નમણિને જોડતી ચામડી તૂટી જવાના સંદર્ભની છે. સામાન્ય રીતે ઘણાં બધા પુરુષોમાં આ શિશ્નમણીને વિંટળાયેલી ચામડીનું મુખ સાંકડું હોવાને કારણે મૂત્રત્યાગ જેવી ક્રિયા કરતી વખતે ખબર પડતી નથી પણ સેક્સ માટે જ્યારે ઉત્તેજના થાય અને ખાસ કરીને હસ્તમૈથુન કે સમાગમ કરવાનો પ્રયત્ન કરે ત્યારે તેમાં તકલીફ જણાય છે, તેમ છતાં તો મહાપ્રયત્ને – પરાણે કરવાનો પ્રયત્ન કરે તો તે ચામડી તૂટી જવાની શક્યતા રહે છે.

આવા સંજોગોમાં જો ધ્યાનમાં આવી જાય તો ડોક્ટર પાસે જઇને તેનું નાનું ઓપરેશન કરાવવું આવશ્યક બને છે અને થોડા દિવ્સ સુધી સમાગમ કે ઉત્તેજના થી દૂર રહેવાથી તેમાં રૂઝ આવી જતી હોય છે અને સામાન્ય સેક્સલાઇફ માણી શકાતી હોય છે.

આપના કેસમાં તો તે તમારાથી જ ફાટી ગઇ છે, તો થોડા સમય સુધી જ્યાં સુધી તેમાં રૂઝ પૂરેપૂરી ન આવે ત્યાં સુધી દુઃખાવો પણ રહેશે અને એકવાર નજીકના સારાં ડૉક્ટરને બતાવી દેશો તો ખબર પડશે કે ઓપરેશનની જરૂર છે કે નહી, પૂર્ણ રૂપથી તે ચામડી તૂટી ન હોય તો ફરીથી પ્રોબ્લેમ થવાની શક્યતા રહી શકે છે.

હમણાં થોડા દિવસ ઉત્તેજના થાય તેવા વિચાર અને વાતાવરણ થી દૂર રહેવું અને હસ્તમૈથુન ટાળવું. સફાઇ તથા યોગ્ય ડ્રેસિંગ કરાવવું.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ – અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsguj
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

admin Selected answer as best July 28, 2020
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top
error: