છેલ્લા ત્રણ ચાર મહિનાથી મારા વૃષણની સાઈઝ વધી ગઈ છે ખાસ કરીને જમણી બાજુ. કોઈ દુખાવો, પેશાબમાં બળતરા, કે રુકાવટ ની તકલીફ નથી. ઉપચાર બતાવવા વિનંતી.
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપને વૃષણની સાઈઝ વધી ગઈ છે અને જો આપને કોઈ દુખાવો કે અન્ય કોઈ તકલીફ ન હોય તો કોઇ ચિંતા કરવાની જરૂર નથી.
તે છતાં આ શાના કારણે વધી છે તે જો નક્કી થાય તો તે પ્રમાણે સારવાર થઈ શકે. તેના માટે ડોક્ટર ને રૂબરૂ તપાસ કરાવવી જરૂરી છે અને જરૂર પડ્યે સોનોગ્રાફી કરાવી ને પાકુ કરવું પડે.
આના માટે એકવાર નિદાન થયા પછી જો કંઈ તકલીફ જણાય તો આપ ચોક્કસથી આયુર્વેદ સારવાર ચાલુ કરી શકો છો.
આ સિવાય પણ આપને ડાયાબિટીસ કે પ્રોસ્ટેટની તકલીફ નથી તે પણ તપાસ કરવી જોઈએ.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps