Skip to content

પ્રથમ સમાગમ વખતે યોનિપટલ ના તૂટવાથી લોહી નીકળે એવું જરૂરી છે?

Share with:


પ્રથમ સમાગમ વખતે યોનિપટલ ના તૂટવાથી લોહી નીકળે એવું જરૂરી છે?

admin Answered question October 11, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપને જે મૂંઝવણ છે તેના જવાબ રૂપે…
1. પ્રથમ સમાગમ વખતે યોનિપટલ તૂટવું જ જોઇએ એવું જરૂરી નથી. સામાન્ય રીતે એવી સમજ છે કે લગ્ન બાદ પ્રથમ સમાગમ વખતે કૌમાર્યભંગ થવું જ જોઇએ. અને યોનિપટલ તૂટવાને કારણે રક્તસ્ત્રાવ થાય છે અને સાથે એવી ગેરસમજણ પણ પણ છે કે જો લોહી ન નિકળે તો પછી તે સ્ત્રી કુંવારિકા ન હોય. આ ખરેખર જ ગેરસમજણ છે.

2. આવું મોટેભાગે હોય છે કે સ્ત્રીની યોનિ એ યોનિપટલથી ઢંકાયેલ હોય છે અને તેના કારણે પ્રથમ વખતે જ્યારે પુરુષેન્દ્રિય પ્રવેશ થવા માટે તે યોનિપટલ તૂટવું જરુરી છે.

3. આ યોનિપટલની રચના દરેક સ્ત્રીમાં અલગ અલગ પ્રકારની હોય છે. તેની ત્વચા ઘણીવાર જાડી અથવા પાતળી હોય છે. ક્યારેક તે ખૂબ જ પ્રયત્ન કર્યા પછી પણ તૂટે નહિ તેવી સ્થિતિ પણ હોય અને ઘણીવાર તે ત્વચા પાતળી હોય તો તેવા સમયે સાઇકલ ચલાવતાં, રમતો રમતાં, એથલેટીક કે રમત દરમ્યાન પડી જવાથી, નાનપણમાં ગુપ્ત ભાગમાં ઇજા થવાથી પણ તૂટી શકે છે તેથી તેની સંસ્કારિતા પર સવાલ ઉભો કરવો તે મૂર્ખામી ભર્યું છે.

4. ઘણીવાર તેની સ્થિતિસ્થાપકતા એટલી વધારે હોય છે કે પુરુષેન્દ્રિયના પ્રવેશ વખતે તે ખેંચાય પણ તૂટે નહિં અને આવા સંજોગોમાં યોનિપ્રવેશ પછી પણ યોનિપટલ અકબંધ હોય છે.

5. આ ઉપરાંત તો પ્રથમ સમાગમ વખતે યોનિપ્રવેશ પૂરેપૂરો ન થાય એટલે કે આંશિક થયો હોય તો પણ યોનિપટલ તૂટવા બાબતે શંકા રહે છે. ઘણીવાર ન તૂટવાને કારને સમાગમ શક્ય ન બને તેવી સ્થિતિમાં નજીકના ડૉક્ટર પાસે તપાસ કરાવીને તેનો યોગ્ય ઇલાજ કરાવીની મૂંઝવણ દૂર કરવી આવશ્યક બને છે.

6. અમારાં ચિકિત્સા અનુભવોમાં આવાં ઘણાં બધા કેસ એવા પણ આવ્યા છે કે લગ્નનાં બે – બે વર્ષ સુધી પણ યોનિપટલ તૂટ્યા વગર જ સમાગમ કરતાં હોય અને એવું માનતા હોય કે તેમનો સમાગમ બરાબર થાય છે. હકીકતમાં તેમને સમાગમનો આનંદ જ ખબર નથી હોતો. પણ જ્યારે ગર્ભ ન રહેવાની સમસ્યા ઊભી થાય છે ત્યારે પણ ઘણાં બધા પ્રયત્ન પછી ઊંડાણમાં જતા હકીકત સામે આવે છે.

આપના કેસમાં જો સમાગમ સારી રીતે પૂર્ણ લિંગ પ્રવેશથી થતો હોય તો પછી યોનિપટલ તૂટવાથી લોહી કેમ ન નિકળ્યું તેતો વિચાર ન કરતાં તમારાં પત્નિ પર પૂર્ણ વિશ્વાસ અને પ્રેમ રાખવો એ જ સમજદારી છે. આ નાનકડી શંકા એ આખું જીવન બરબાદ કરી નાંખે છે.

દામ્પત્યજીવનને સુખી કરવાની શ્રેષ્ઠ ચાવી એ એક બીજા પરનો પૂર્ણ વિશ્વાસ જ છે.

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

admin Answered question October 11, 2020
Back to top
error: