Skip to content

ગેસ નો ભયંકર પ્રોબ્લેમ

Share with:


સર મને 16 વરસ થી ગેસ નો પ્રોબ્લેમ છે મારી ઉંમર 75 છે 3 વાર ફુલ એન્ડોસ્કોપી કરાવી છે મુંબઈ ના મોટાં માં મોટા 4 ડોક્ટરો ને બતાવ્યુ છે gastritis અને GERD નું ડાયગનોસીસ થયું છે રોજ સવારથી જ ગેસ ચાલુ થઈ જાય છે જમ્યા બાદ પેટ એકદમ ભારે થઈ જાય છે ઓડકાર સતત આવ્યા જ કરે છે પેટ માં આફરો ચડે છે જોર જોર થી સ્વાસ લેવો પડે છે ખાવામાં એકદમ નિયમિત છું ત્રિફળા લવ છું તો પણ પેટ કોઈવાર સાફ આવે તો કોઈવાર કબજિયાત થઇ જાય પેટ નો ડાબી બાજુ નો ભાગ જમણી બાજુ કરતા વઘારે ઉપસેલો છે અને સોનોગ્રાફી કરાવી તો ગેસ નું કારણ બતાવે છે હોમીયોપેથી અને આયુર્વેદિક પણ ટ્રીટમેન્ટ લીધી પણ કંઈ ફરક પડ્યો નહીં હાઇટ્સ હર્નિયા નો થોડો પ્રોબ્લેમ છે કોઈ કોઈ વાર સૂતી વખતેજ ખાવાનુ ઉપર આવે છે બે થી ત્રણ લાખ રૂપિયા બરબાદ કર્યા છે કાઈ જ ફરક પડતો નથી એન્ડોસ્કોપી માં કોઈ પણ જાતનું અલ્સર કે કૅન્સર નથી આવ્યું પેટમાં જમણી બાજુ નીચે થોડો થોડો દુખાવો રહે છે digestion બિલકુલ નથી થતું સવાર નું ખાધેલું રાત્રે પચે છે જિંદગી થી કંટાળી ગયો છું આંખ માં જરાક જામર છે દિવ્ય ઉદરામૃત વટી લવ છું બીપી ની ગોળી લવ છું please મારા ઇમેઇલ પાર ઉપાય બતાવજો આભાર

admin Marked as featured question October 2, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા જાણી,
આયુર્વેદ ના દ્રષ્ટિકોણથી આ પ્રકારની જકલીફ એ અગ્નિમાંદ્ય બાદ ઊભી થયેલી અજીર્ણની સ્થિતિ છે અને તેના કારણે પાચન ન થયેલા ખોરાકમાંથી ઉત્પન્ન થતો ગેસ એ ઉપરની બાજુએ ગતિ કરે છે આને અલસક/વિષ્બ્ધાજીર્ણ પણ કહી શકાય.
આયુર્વેદિક દવાઓ લાંબા સમય સુધી લેવામાં આવે તો જ આમાં 100% મટી જાય એવું તો નહિં જ પણ ઘણાં બધાં અંશે તેમાં ફાયદો જરુર થઇ શકે.
આપના માટે તો ઉત્તમ સલાહ એ જ છે કે નજીકમાં કોઇ આયુર્વેદિક ક્લિનિકમાં રેગ્યુલર ચેકઅપ સાથે સારવાર કરાવો. કારણ કે આમાં વારંવાર દવા બદલતા રહીને આગળ વધતાં જવું પડશે. આપ ચાહો તો અમારે ત્યાંથી પણ દવા શરૂ કરી શકો છો. તેના માટે એકાદવાર રૂબરૂ આવી શકો તે ઇચ્છનીય છે. તે પછી થી કુરિયર દ્વારા પણ દવા મંગાવીને સારવાર પ્રાપ્ત કરી શકો. થોડી ધીરજ રાખીને લાંબા ગાળા સુધી સારવાર લેવી જરુરી છે આવી માનસિક તૈયારી સાથે જ સારવાર કરવી જોઇએ.


નીચે પ્રમાણે ના ઔષધો આપ બે મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. ચિત્રકાદી વતી બે ગોળી બે વાર જમ્યા પછી.
૨. અવિપત્તિકર ટેબલેટ બે ગોળી બે વાર
૩. શિવાક્ષાર પાચન ચૂર્ણ જમ્યા પછી છાશ સાથે એક ચમચી.
૪. પ્રવાલ પંચામૃત ટેબલેટ એક ગોળી બે વાર
૫. અભયારિષ્ટ ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર જમ્યા પછી

સવારે ઊઠીને ચાલવાનું અને હળવી કસરતો કરવી.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો.
બેકરીની વસ્તુઓ ન લેવી
જમ્યા પછે નિયમિત પાતળી છાશ પીવી

વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top