Skip to content

બહેરાશ અને કાનમાં અવાજ……

18.37K viewsકાનનાં રોગોAyurveda Ayurveda Clinic Ayurveda Doctor Ayurveda Health tips Ayurveda QA ayurveda tips ayurveda treatment deafness Dr. Nikul Patel ear problem ENT diseases અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડાયેટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ તપાસ આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ પ્રોડક્ટ આયુર્વેદ મસાજ આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ યોગા આયુર્વેદ વેબસાઈટ આયુર્વેદ સલાહ આયુર્વેદ સારવાર આયુર્વેદ સ્વાસ્થ્ય ટીપ્સ અકસીર આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય આયુર્વેદિક ડૉકટર આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક પધ્ધ્તિથી વજન ઓછું કરવું આયુર્વેદીક સારવાર આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યમ્ ઈન્ડિયન દવાઓ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કાયમી ઉપચાર કાયમી સારવાર કેરેલા આયુર્વેદ ગુજરાત ગુજરાતી આયુર્વેદ નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ ભારતમાં આયુર્વેદ લાઈફકેર વૈદ્ય નિકુલ પટેલ સ્વદેશી ચિકિત્સા સ્વાસ્થ્ય રક્ષા

Share with:


નમસ્તે સાહેબ
મારા જમણા કાનમાં પાંચ વર્ષથી બહેરાશ છે. હવે ડાબા કાનમાં પણ શરૂ થવા માંડી છે. બેઉ કાનમાં સતત જાતજાતના અવાજ આવે છે. બારેય મહીના શરદી મટતી નથી. નાક બંધ થઇ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ભણવાનું યાદ રહેતું નથી. માથું દુખ્યા કરે છે. એક વખત મુંબઇના એક જાણીતા ડોક્ટર પાસે કાનના પડદાનું ઓપરેશન પણ કરાવ્યું છે છતાં ફાયદો થયો નહી. હવે મારા અભ્યાસમાં ઘણી જ મૂશ્કેલી પડે છે. મને કોઈ ઉપાય બતાવશો મને તો જેમ કહેશો તેમ કરીશ

admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને બહેરાશની તકલીફ છે આપે આપની ઉંમર અહીં જણાવી નથી. શરૂઆતમાં જમણા કાનમાં તકલીફ હતી અને હવે ડાબા કાનમાં પણ શરૂઆત થવા માંડી છે. સાથે સાથે તમને જાતજાતના અવાજ પણ આવે છે, પણ આ બધાના મૂળમાં જે વાત છે તે તમને ન મટનારી કાયમી શરદી છે.
ખાસ કરીને ગળાથી ઉપરના રોગોની અંદર અને કાનના રોગો જેમ કે કાનમાંદુખાવો થવો જેમ કે કાનમાંથી પરુ આવવું રસી આવવી, કાનના પડદામાં કાણું પડવું, બહેરાશ આવવી, કાનમાં અવાજ આવવો. આ બધાજ પ્રકારના કાનના રોગોની અંદર સૌથી મહત્વની વાત જો હોય તો કાયમી શરદી છે. જે લોકોને કાયમી શરદી રહેતી હોય યોગ્ય સારવાર ન થતી હોય તો તેને કાનના રોગો હંમેશા રહેતા હોય છે.
આપના કેસની અંદર જોઈએ તો આપને કાયમી શરદી છે. શ્વાસ લેવામાં તકલીફ છે અને નાક પણ બંધ થઈ જાય છે. આ બધાના કારણે માથું પણ દુખ્યા કરે છે. વારંવાર શરદી થવાના કારણે તમે જ્યારે એલોપેથી દવા લેતા હો છો ત્યારે શરદી થોડાં સમય માટે મટી જાય છે, પણ ફરીથી ઋતુ બદલાય ત્યારે એ શરદી વધી જતી હોય છે.
આપના કાનના અને શરદીના બંને રોગનો ઈલાજ આમ જોઈએ તો એક જ છે. એના માટે તમારે સૌથી પહેલા કાયમી શરદી મટાડવી પડે. કાયમી શરદી મટી જાય તો પછી બાકીની જે કાનની તકલીફો છે તેને સારી કરી શકાશે.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. વ્યોષાદી વટી બે ગોળી બે વાર
૨. ત્રિફળા ગુગળ બે ગોળી બે વાર
૩. કફકેતુ રસ ૧ ગોળી બે વાર .
૪. સારીવાદી વટી બે ગોળી બે વાર
૫. કોફાન્ત સિરપ ૧૫ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર
૬. સુવર્ણવસંત માલતી ગોળી સવારે મધ સાથે ચાટવી.

• બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં, દહીં છાશ ટામેટા અને કોક્મ આંબલી બધીજ ખટાશ બંધ કરવી.
• ગોળ બંધ કરવો.
• ફ્રિજનું પાણી અને ફ્રિજમાં મુકેલી તમામ વસ્તુઓ ન લેવી.
• વાસી ખોરાક ન લેવો, મેંદાની વસ્તુઓ અને બેકરીની વસ્તુઓ જેવી કે બ્રેડ બિસ્કીટ પાંઉ બિલકુલ ન લેવા.
• સવારમાં તુલસીના ૧૦ પાન અને તેના સાથે ૫ નંગ કાળા મરી તેની સાથે મૂકીને ચાવી જવા
• છાતી ઉપર હળવો શેક કરવો,
• રાત્રે ઉજાગરા ન કરવા અને દિવસે મોડા સુધી ના સૂવું
• પાણીમાં કે વરસાદમાં વધારે પલળવું નહિં અને પંખાના ડાયરેક્ટ પવનથી દૂર રહેવું, એ.સી. બિલકુલ વાપરવું નહિં

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top