નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
- આપની સમસ્યા પ્રમાણે આપને જે સમસ્યા છે તે આપનો પાચકાગ્નિ મંદ હોવાને કારણે છે. આપના પાચનતંત્રમાં કોઇ સોજો, ગાંઠ કે ચાંદુ હોય અથવા ઝાડા વાટે લોહી પડતું હોય કે પરું આવતુ હોય તો અને પેટમાં દુઃખાવો રહેતો હોય તો એન્ડોસ્કોપીથી કોઇ નિદાન થઇ શકે અને તેની સારવાર આધુનિક પદ્ધતિથી થઇ શકે.
- આપના કેસમાં આપને માત્ર ભોખ લાગતી નથી અને તરસનો અહેસાસ પણ થતો નથી. તે છતાં આપ અમુક સમયાંતરે પાણી પીતા જ હશો અને દિવસમાં ત્રણ વાર સમય પ્રમાણે જમી જ લેતા હશો.
- અહિં અમુકેક બાબતો સમજી લેવી જોઇએ…
- ભગવાને આ શરીરમાં અમુકેક બાબતો આપણા માટે વિશેષ ગોઠવી જ છે. જેમ કે શરીર ખૂબ જ થાક્યું હોય તો ઊંઘ આવવા જ લાગે છે. તેમ શરીરને ખોરાક કે પાણીની આવશ્યકતા છે તેના એલાર્મ તરીકે આપણને ભૂખ કે તરસ જેવી સંજ્ઞા આપી છે પણ તેનો આપણને અહેસાસ થાય તે પહેલા તો આપણે પાણી પી લઈએ છીએ અને સમય થાય એટલે જમી જ લઇએ છીએ. જેથી કરીને ભગવાને મૂકેલી વ્યવસ્થાને કામ કરવાનો મોકો જ મળતો નથી. અને જેમ કામ વગર માણસ પણ આળસુ બની જાય તેમ આ બધી સંવેદનાઓ પણ જો આપણે તેને ચાન્સ ના આપીએ તો તે પણ નિશ્ક્રિય બની જાય છે. તેથી પ્રથમ તો તમને ભૂખ કે તરસ લાગવા દો. તેની રાહ જુઓ.
- બીજું કે જો અગ્નિ મંદ થયો હોય અને ભૂખ જ ન લાગતી હોય તો આદું પર મીઠું અને લીમ્બુ લગાવીને જમતાં પહેલા 10 મિનિટ પહેલાં ચાવીને લેવાનું રાખો.
- જમતાં વખતે મોબાઇલ બંધ કરી દો અને જમવામાં ધ્યાન કેન્દ્રિત કરી દો. જમતી વખતે ટીવી પણ ન જોવું કે વધારે વાતચીત પણ ન કરતાં પ્રસન્ન ચિત્તે ભોજન આરોગો.
નીચે પ્રમાણે ના ઔષધો આપ 2-3 મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
૧. ચિત્રકાદી વટી બે ગોળી બે વાર જમ્યા પછી.
૨. દાડિમાષ્ટક ચૂર્ણ એક ચમચી બે વાર
૩. લવણભાસ્કર ચૂર્ણ જમ્યા પછી છાશ સાથે એક ચમચી.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. શિરોધારા કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.
આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com