વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,511 users

મને ભૂખનો કે તરસનો અહેસાસ બિલકુલ થતો નથી

ઉંમર-૩૬ વર્ષ. વજન-૬૫ Kg. મારી સમસ્યા એવી છે કે મને ભૂખનો કે તરસનો અહેસાસ બિલકુલ થતો નથી આ તકલીફ મને ૧૦ થી ૧૨ વર્ષ જુની છે આ માટે મે એન્ડોસ્કોપી પણ કરાવેલ છે રીપોર્ટ નીલ આવેલ છે તો પછી પેચુટી ખસી જાય કે નળ ભરાય તો આવુ હોય શકે વિગતે જણાવશો.
asked Aug 30, 2017 in પેટનાં રોગો by annonymus
retagged Aug 30, 2017 by admin
Q 32 A 0 C 1
    

1 Answer

 
Best answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

  • આપની સમસ્યા પ્રમાણે આપને જે સમસ્યા છે તે આપનો પાચકાગ્નિ મંદ હોવાને કારણે છે. આપના પાચનતંત્રમાં કોઇ સોજો, ગાંઠ કે ચાંદુ હોય અથવા ઝાડા વાટે લોહી પડતું હોય કે પરું આવતુ હોય તો અને પેટમાં દુઃખાવો રહેતો હોય તો એન્ડોસ્કોપીથી કોઇ નિદાન થઇ શકે અને તેની સારવાર આધુનિક પદ્ધતિથી થઇ શકે.
  • આપના કેસમાં આપને માત્ર ભોખ લાગતી નથી અને તરસનો અહેસાસ પણ થતો નથી. તે છતાં આપ અમુક સમયાંતરે પાણી પીતા જ હશો અને દિવસમાં ત્રણ વાર સમય પ્રમાણે જમી જ લેતા હશો.
  • અહિં અમુકેક બાબતો સમજી લેવી જોઇએ…
  • ભગવાને આ શરીરમાં અમુકેક બાબતો આપણા માટે વિશેષ ગોઠવી જ છે. જેમ કે શરીર ખૂબ જ થાક્યું હોય તો ઊંઘ આવવા જ લાગે છે. તેમ શરીરને ખોરાક કે પાણીની આવશ્યકતા છે તેના એલાર્મ તરીકે આપણને ભૂખ કે તરસ જેવી સંજ્ઞા આપી છે પણ તેનો આપણને અહેસાસ થાય તે પહેલા તો આપણે પાણી પી લઈએ છીએ અને સમય થાય એટલે જમી જ લઇએ છીએ. જેથી કરીને ભગવાને મૂકેલી વ્યવસ્થાને કામ કરવાનો મોકો જ મળતો નથી. અને જેમ કામ વગર માણસ પણ આળસુ બની જાય તેમ આ બધી સંવેદનાઓ પણ જો આપણે તેને ચાન્સ ના આપીએ તો તે પણ નિશ્ક્રિય બની જાય છે. તેથી પ્રથમ તો તમને ભૂખ કે તરસ લાગવા દો. તેની રાહ જુઓ.
  • બીજું કે જો અગ્નિ મંદ થયો હોય અને ભૂખ જ ન લાગતી હોય તો આદું પર મીઠું અને લીમ્બુ લગાવીને જમતાં પહેલા 10 મિનિટ પહેલાં ચાવીને લેવાનું રાખો.
  • જમતાં વખતે મોબાઇલ બંધ કરી દો અને જમવામાં ધ્યાન કેન્દ્રિત કરી દો. જમતી વખતે ટીવી પણ ન જોવું કે વધારે વાતચીત પણ ન કરતાં પ્રસન્ન ચિત્તે ભોજન આરોગો.

નીચે પ્રમાણે ના ઔષધો આપ 2-3 મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. ચિત્રકાદી વટી બે ગોળી બે વાર જમ્યા પછી.

૨. દાડિમાષ્ટક ચૂર્ણ એક ચમચી બે વાર

૩. લવણભાસ્કર ચૂર્ણ જમ્યા પછી છાશ સાથે એક ચમચી.


બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.

અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.

૧. વિરેચન કર્મ

૨. બસ્તિકર્મ

૩. શિરોધારા કર્મ

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ

૧. પશ્ચિમોતાનાશન

૨, ચક્રાસન

૩. પવન મુક્તાસન

૪. પ્રાણાયામ


નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Aug 30, 2017 by admin

Related questions

1 answer 4,938 views
4,938 views asked Dec 28, 2012 in સ્થૌલ્ય - વધું વજન by annonymus
1 answer 9,182 views
9,182 views asked May 4, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 331 views
331 views asked Oct 31, 2019 in કબજિયાત by Kirit gohil
1 answer 3,372 views
3,372 views asked Feb 16, 2018 in જાતિય મૂંઝવણ by sanjaysavaliya1991
1 answer 970 views
970 views asked Sep 30, 2013 in વાળની સમસ્યા by annonymus
1 answer 1,351 views
1,351 views asked Sep 19, 2013 in આયુર્વેદ by keyur shah
1 answer 3,845 views
3,845 views asked Dec 28, 2012 in વાળની સમસ્યા by annonymus
1 answer 2,743 views
2,743 views asked Feb 17, 2013 in એસિડીટી by anonymous
1 answer 2,851 views
2,851 views asked Dec 28, 2012 in કબજિયાત by annonymus
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...