Skip to content

રોજ કોન્ડોમ નો ઉપયોગ કરાય કે નહીં?

Share with:


હું એ જાણવા માગું છું કે રોજ કોન્ડોમ ઉપયોગ કરાય કે નહીં મારા મેરેજ ને 6 મહિના થયા છે મારી ઉંમર 24 વર્ષ અને મારી વાઈફ ની 21 વર્ષ છે અમે હાલ પ્રેગ્નન્સી ઈચ્છતા નથી માટે કોન્ડોમ નો ઉપયોગ કરીએ છે અને અમે લગભગ માસિક સમય ના 4 દિવસ બાદ કરતાં રોજ કોન્ડોમ સાથે સંભોગ માણીએ છે તો તેનાથી કોઈ અમને ભવિષ્યમાં તકલીફ કે કોઈ મુશ્કેલી થઈ શકે કે નહીં અને જો કોઈ મુશ્કેલી ની સંભાવના હોય તો તેના હલ માટે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

admin Answered question October 11, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની જાતિય વિષયક મૂંઝવણ બાબતે પ્રશ્ન છે તેનો જવાબ આ પ્રમાણે છે.

1. આપે ગર્ભ ન રહે તે બાબતે ગર્ભનિરોધક વિવિધ ઉપાયો પૈકી નિરોધ ( કોન્ડોમ) નો ઉપયોગ કરવાનું નક્કી કરીને માસિક ના 4 દિવસ ને બાદ કરતાં દરરોજ કોન્ડોમના ઉપયોગ થકી જાતિય સંબંધ બાંધો છો.

2. તમામ ગર્ભનિરોધકમાં કોન્ડોમ એ એકદમ બેનહાનિકારક માધ્યમ છે કારણકે તેમાં શરીરની અંદર કંઇ લેવાનું હોતું નથી. તેથી તેનો જ્યાં સુધી ગર્ભ રાખવાની ઇચ્છા ન હોય ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકો છો.

3. કોન્ડોમમાં પણ અનેકવિધ પ્રકાર આવે છે તેમાં તમે બદલીને પણ આપને જે વધુ અનુકૂળ આવે તે વાપરી શકો છો.

4. અમુકેક પ્રકારના કોન્ડોમ ઘણીવાર માફક આવતા નથી તો તેનાથી યોનિના અંદરના ભાગમાં ખંજવાળ આવવી, બળતરા થવી વગેરે થાય છે, એવું જો જણાય તો બીજી ક્વોલીટીના કોન્ડોમનો ઉપયોગ કરવો જોઇએ.

5. અન્યથા આપ ને આનાથી ચિંતામુક્ત રહીને સંબંધ રાખી શકો આ વિશેષ ફાયદો છે. આપ બિન્દાસ્ત વાપરી શકો છો.

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

admin Answered question October 11, 2020
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top
error: