Skip to content

Gas acidity throat food swallowing problem

Share with:


Mari age 23 varsh ni chhe..mne last 6 year thi problem che.kaik khav ke nai khav 24 hours moh vate gas bahar nikre che. Gara ma jmti vkhte khorak atki jay che.gara MA kaik nde che evu lage chhe..divas na 3-4 var toilet jvu pde chhe..gas na karane pani pan pivatu nthii..acidity pan Roj thay chhe.garu under thi soji gyu hoy evu pain thay chhe..kayami sardi rhe che..6 year ma 10-12 doctors ni pase ilaj kravi chukyo chhu.koi frk nai..ultanu vdhare problem thay..pani pivama pan tklif pde. please tell me..what to do.!!

મારી ઉંમર ૨૩ વર્ષની છે. મને છેલ્લા છ વર્ષથી પ્રોબ્લેમ છે. કંઈક ખાવ કે ન ખાવ પણ 24 કલાક મોં વાટે થી ગેસ બહાર નીકળ્યા કરે છે. ગળામાં જમતી વખતે ખોરાક અટકી જાય છે. ગળામાં ખટકતું હોય તેવું લાગે છે. દિવસમાં ત્રણથી ચાર વાર ટોયલેટ જવું પડે છે. ગેસના કારણે પાણી પણ પીવાતું નથી. એસીડીટી પણ રોજ થાય છે. ગળામાં અંદરથી સોજો હોય એવો દુખાવો થાય છે. કાયમી શરદી રહે છે. છ વર્ષમાં 10 થી 12 ડોક્ટર પાસે સારવાર કરાવી ચુક્યો છું. કોઈ ફરક પડતો નથી.ઊલટાનો વધારે પ્રોબ્લેમ થાય છે. હવે તો પાણી પીવામાં પણ તકલીફ પડે છે. આના માટે શું કરવું તે જણાવશો

admin Answered question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપને ઘણી બધી તકલીફો છે.

ખાસ કરીને જોઈએ તો વાયુ, પિત્ત અને કફ આ ત્રણે ત્રણ દોષ એકસાથે તમારા શરીરમાં ઉત્પાત મચાવે છે.

આવા સમયે કોઈ રામબાણ ઇલાજ અથવા ગોળી તમને બધું એકસાથે મટાડી દે, તેવું કોઈપણ રીતે શક્ય નથી.

દસ થી બાર ડોક્ટર બદલવા છતાં છ વર્ષથી આપ ખૂબ જ હેરાન થાવ છો.પણ આપની આ જે તકલીફ છે તે ખાસ કરીને પાચન સંબંધિત વધારે છે.
તેમાં પણ ઉદાનવાયુ અને વ્યાનવાયુ આ બંને વાયુના પ્રકોપથી શરૂ થયેલો આ રોગ એલોપેથી દવાની આડઅસરથી એસીડીટી પણ શરૂ કરી ગયો.

શરદી થવી અને ગળામાં દુખાવો તો તે કદાચ તમે ખાવા-પીવામાં ધ્યાન નથી રાખતા તેના કારણે અથવા તો ઋતુ બદલાવાના કારણે કે ઠંડા પવન કે ઠંડા પાણીના કારણે ઊભી થયેલી હોઈ શકે.

આવા સંજોગોમાં નિયમિત રીતે ચેક અપ કરીને પંદર દિવસે કે મહિને દવા બદલતાં બદલતાં એક-એક લક્ષણોને કાબૂમાં લેતાં લેતાં આપના રોગને મટાડવો પડે.

આપની આ સ્થિતિમાં આયુર્વેદની સારવાર જેવી એક પણ ઉચિત અને સફળ સારવાર દેખાતી નથી.

તેથી, આપને આગ્રહપૂર્વક જણાવું છું કે આપની નજીકમાં સારા આયુર્વેદ ડોક્ટરનો સંપર્ક કરી તેમની સલાહ પ્રમાણે દવાઓ શરૂ કરો અને જરૂર જણાય ત્યારે ડોક્ટરની સલાહ પ્રમાણે પંચકર્મની પણ સારવાર ચોક્કસથી કરાવશો.

આપના આ રોગ માટે ધીરજપૂર્વક સતત એકધારા પ્રયત્નની આવશ્યકતા છે. ડોક્ટર બદલવાથી રોગ મટી જવાનો નથી પણ રોગની જેમ તમારે પણ ડોક્ટર ને સ્થિર કરી દેશો તો રોગ અસ્થિર થઇ જશે.

ત્યાં સુધી આપ નીચેની દવા શરૂ કરી શકો.
1. અવિપત્તિકર ચૂર્ણ એક એક ચમચી ત્રણ વાર પાણી સાથે લેવી
2. છર્દિરિપુ ચૂર્ણ અડધી ચમચી સવાર-સાંજ મધ સાથે ચાટવું.
3. તુલસી અને અરડૂસીનો રસ મધ નાખીને સવાર-સાંજ નિયમિત પીવો.
4. હળદર અને મીઠાના ગરમ પાણીના કોગળા કરવા.
5. રાત્રે સૂતી વખતે હળદરવાળું દૂધ પીવું.

વધારે પડતો ખોરાક ન લેતા અત્યારે ખીચડી, દાળ ભાત જેવો હળવો ખોરાક લેવો અને જમતી વખતે શાંતિથી ધીમે ધીમે જમવું.
વાસી ખોરાક બિલકુલ ન લેવો.
બ્રેડ, બિસ્કીટ, પાઉં જેવી મેંદાની વસ્તુઓ બંધ કરવી.
અથાણા, આથેલી વસ્તુઓ બિલકુલ ન લેવી.
ઠંડું પાણી અને ફ્રીજમાં મૂકેલી તમામ વસ્તુઓ બંધ કરવી.

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.

1. વમન કર્મ
2. વિરેચન કર્મ
3. બસ્તિકર્મ
4. શિરોધારા
5. કવલ અને ગંડૂષ

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top