શ્રીમાન વૈદ્ય શ્રી નિકુલભાઇ,
1. મને કબજિયાતની તકલીફ છે અને આ અંગે મને એક હોમિયોપેથીક ડોક્ટર દ્વારા સવારે હુંફાળા ગરમ પાણીમાં બે ચમચી મધ અને એક લીંબુના રસ ઉમેરીને લેવાની સલાહ આપવામાં આવી હતી. જે લેવાની મેં શરૂઆત કરી અને લગભગ એમ મહિનાના સમયગાળામાં મને સામાન્ય આરામ પણ થયો.
હવે અહીં પ્રશ્ન એ છે આપના અન્ય કોઇ દર્દીને આપવામાં આવેલા એક જવાબમાં એવું વાચ્યું હતું કે મધને લીંબુ કે ગરમ પાણી સાથે ક્યારેય ન લેવું જોઇએ. આથી હવે હું મૂંઝવણમાં છું હું હોમિયોપેથીક ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહ અનુસાર ગરમ પાણી અને લીંબુ સાથે લેવાનું ચાલુ રાખું કે પછી બંધ કરી દઉ.
મારી ઉંમર 28 વર્ષની છે અને લગભગ 6 વર્ષ પહેલા મને મસા થયા હતા, જે ક્ષારસૂત્ર પદ્ધતિ દ્વારા મેં કઢાવ્યા હતા. આથી હવે મને કબજિયાત ન થાય તે ખૂબ જ જરૂરી છે.
2. લગભગ એક અઠવાડિયા પહેલા થોડું વધારે તીખું શાક ખાઇ લીધા બાદ મને ખૂબ જ તીખો ઓડકાર આવ્યો હતો અને તે કારણે ગળામાં લગભગ અડધા કલાક સુધી બળતરા થઇ હતી. તે દિવસથી મને પેટમાં બળતરા થઇ રહી છે. શું તે એસિડીટી હોઇ શકે.? તે દિવસથી હું રોજ રાત્રે ઠંડા દૂધમાં ઇસબગુલ ઉમેરીને પીવું છે ત્યારે થોડા સમય સુધી રાહત રહે છે. પરંતુ જમ્યા બાદ બળતરા થવાની શરૂ થઇ જાય છે. દિવસ દરમિયાન ક્યારેક ખાટા ઓડકાર પણ આવી જાય છે.
આથી હું આપને વિનંતી કરૂ છું કે આપ મને યોગ્ય રસ્તો સૂચવશો. હું મારી જીવનશૈલીમાં પણ યોગ્ય ફેરફાર કરવા માટે તૈયાર છું. તો ઉપરોક્ત બંને સમસ્યાને દુર કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવા આપને વિનંતી છે.