વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

29,857 users

મધ, લીંબુ અને ગરમ પાણી વિષેની માન્યતા અને કબજિયાત

શ્રીમાન વૈદ્ય શ્રી નિકુલભાઇ,

1. મને કબજિયાતની તકલીફ છે અને આ અંગે મને એક હોમિયોપેથીક ડોક્ટર દ્વારા સવારે હુંફાળા ગરમ પાણીમાં બે ચમચી મધ અને એક લીંબુના રસ ઉમેરીને લેવાની સલાહ આપવામાં આવી હતી. જે લેવાની મેં શરૂઆત કરી અને લગભગ એમ મહિનાના સમયગાળામાં મને સામાન્ય આરામ પણ થયો.

હવે અહીં પ્રશ્ન એ છે આપના અન્ય કોઇ દર્દીને આપવામાં આવેલા એક જવાબમાં એવું વાચ્યું હતું કે મધને લીંબુ કે ગરમ પાણી સાથે ક્યારેય ન લેવું જોઇએ. આથી હવે હું મૂંઝવણમાં છું હું હોમિયોપેથીક ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહ અનુસાર ગરમ પાણી અને લીંબુ સાથે લેવાનું ચાલુ રાખું કે પછી બંધ કરી દઉ.

મારી ઉંમર 28 વર્ષની છે અને લગભગ 6 વર્ષ પહેલા મને મસા થયા હતા, જે ક્ષારસૂત્ર પદ્ધતિ દ્વારા મેં કઢાવ્યા હતા. આથી હવે મને કબજિયાત ન થાય તે ખૂબ જ જરૂરી છે.

2. લગભગ એક અઠવાડિયા પહેલા થોડું વધારે તીખું શાક ખાઇ લીધા બાદ મને ખૂબ જ તીખો ઓડકાર આવ્યો હતો અને તે કારણે ગળામાં લગભગ અડધા કલાક સુધી બળતરા થઇ હતી. તે દિવસથી મને પેટમાં બળતરા થઇ રહી છે. શું તે એસિડીટી હોઇ શકે.?  તે દિવસથી હું રોજ રાત્રે ઠંડા દૂધમાં ઇસબગુલ ઉમેરીને પીવું છે ત્યારે થોડા સમય સુધી રાહત રહે છે. પરંતુ જમ્યા બાદ બળતરા થવાની શરૂ થઇ જાય છે. દિવસ દરમિયાન ક્યારેક ખાટા ઓડકાર પણ આવી જાય છે.

આથી હું આપને વિનંતી કરૂ છું કે આપ મને યોગ્ય રસ્તો સૂચવશો. હું મારી જીવનશૈલીમાં પણ યોગ્ય ફેરફાર કરવા માટે તૈયાર છું. તો ઉપરોક્ત બંને સમસ્યાને દુર કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવા આપને વિનંતી છે.

asked Jan 29, 2013 in કબજિયાત by anonymous
edited Apr 27, 2020 by admin
    

1 Answer

Related questions

1 answer 2,743 views
2,743 views asked Feb 17, 2013 in એસિડીટી by anonymous
1 answer 3,624 views
3,624 views asked Dec 28, 2012 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
1 answer 2,850 views
2,850 views asked Dec 28, 2012 in કબજિયાત by annonymus
1 answer 1,031 views
1,031 views asked May 25, 2013 in વૃદ્ધાવસ્થાનાં રોગો by RIDDHI
1 answer 408 views
408 views asked Jan 31, 2020 in પેટનાં રોગો by Krishna Patil
1 answer 1,616 views
1,616 views asked Sep 15, 2015 in પેટનાં રોગો by Deep
1 answer 2,187 views
2,187 views asked Dec 28, 2012 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
1 answer 4,317 views
4,317 views asked Dec 28, 2012 in વૃદ્ધાવસ્થાનાં રોગો by annonymus
1 answer 8,193 views
8,193 views asked Dec 31, 2012 in પેટનાં રોગો by annonymus
1 answer 11,486 views
11,486 views asked Jul 13, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...