નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપના લગ્નને હજું બે જ વર્ષ થયા છે અને આપને સમાગમ દરમ્યાન ઉત્તેજના ટકાવી રાખવામાં તકલીફ પડે છે.
- આપની સમસ્યા એ સામાન્ય રીતે ઘણાં બધા પુરુષોમાં જોવા મળે છે. આટલી નાની ઉંમરે સેક્સ સમસ્યા ઊભી થવી એ ખરેખર ટેન્શન કરાવે તેવું જ હોય છે. એક બાજું પત્નિની ઇચ્છાને પૂર્ણ ન કરી શકવાનું દુઃખ અને પોતાની તકલીફ બન્ને ભેગા થાય એટલે તકલીફ એમનામ જ વધી જાય.
- આવા સમયે ખૂબ જ ધીરજ રાખીને, જરાય ટેન્શન લીધા વગર આગળ વધીએ એમાં જ તેનો ઉકેલ છે. પત્નિ ને પણ એ સમજાવો કે આ માત્ર થોડા સમય માટે ઉદ્ભવેલો પ્રશ્ન છે. આ કાયમી પ્રશ્ન નથી. અને તે પણ જેટલો આપને ઉત્તેજના ટકાવી રાખવામાં મદદરૂપ થશે તો તેટલો જ આપને જલ્દી ફાયદો થશે,
- આવી સ્થિતિમાં હાર્યો જુગારી બમણું રમે એવી કહેવત પ્રમાણેની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે અને દરેક પુરુષ એવું જ માને છે કે આજે તો બરાબર જ થશે અને દર વખતે મળતી નિષ્ફળતા અને ઘણીવાર વારં-વાર ના પ્રયત્ન પછી પણ સફળતા ન મળે તો પત્નિ તરફથી મળનારો ઠપકો પણ માનસિક રીતે તોડી નાંખે છે. આવા સમયે બે સમાગમ વચ્ચે નો ગાળો વધારી દેવો જરુરી છે.
- લગ્ન પહેલાની હસ્તમૈથુનની આદત ઘણીવાર લગ્ન પછી તરત કે અમુક વર્ષો પછી જાતિય નબળાઇ સ્વરૂપે દેખા દે જ છે અને તેથી આવા સમયે હસ્તમૈથુનના કારણે પેદા થયેલ શુક્રધાતુના ક્ષયને અને તેના કારણે પેનિસની નસોમાં આવેલી નબળાઇને દૂર કરીને લાંબા ગાળા સુધી તકલીફ ન પડે તેવી સારવાર આયુર્વેદ પાસે છે. પણ થોડા ધીરજપૂર્વક સારવાર કરાવવી જોઇએ.
નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
૧. વૃશ્ય ટેબલેટ બે ગોળી બે વાર જમ્યા પછી.
૨. આત્મ ટેબલેટ બે ગોળી બે વાર
૩. નવજીવન બે ગોળી બે વાર
૫. સુવર્ણ મકરધ્વજ વટી એક ગોળી દિવસ માં બે વાર મધ સાથે.
૬. વાજીકરણ તેલ માલિશ માટે 10 મિનિટ બે બાર
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
ખાવાનો સોડા, ઠંડા પીણાં અને તરબૂચ ન લેવા
અડદિયા પાક લેવા..
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.
આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com