વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

29,851 users

હોર્મોન્સ ને સંતુલિત કરવા માટે શું કરી શકાય

હુ અમદાવાદ માં જ વસવાટ કરુ છુ. મારી ઉમર ૨૮ વર્ષ છે. લગ્ન ને ૩.૫ વર્ષ થયા છે. મારે હવે બાળક જોઇએ છે પણ દવા ચાલુ કરતા ડૉ. નું કહેવુ એવુ છે કે મારી ડાબી સાઇડ  ઓવરીમાં ચોકલેટ સિસ્ટ છે. અને હોર્મોન નું અસંતુલન થઇ ગયુ છે જેથી સમયસર બીજ છુટુ પડતુ નથી અને તેની ગાંઠ થઇ જાય. બીજ છુટુ પડવા માટે ઇંજેક્શન પણ આપેલ છ્તાં કઇ જ ફરક ન પડ્તા ડૉ. દ્વારા બે ઓવ્યુલેશન અને ઇંજેક્શન ના ડોઝ વધાર્યા પછિ પણ જો બીજ છુટુ ના પડે તો લેપ્રોસ્કોપી કરવાની સલાહ આપેલ છે હવે મને આ અંગે વધુ માર્ગ દર્શન આપવા વિનંતી જેથી હું આગળ નિર્યણ લઇ શકું.

asked Dec 17, 2015 in માસિક સંબંધી સમસ્યા by soniya
recategorized Dec 18, 2015 by admin
Q 2 A 0 C 0
    

1 Answer

 
Best answer

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને ગર્ભ ધારણ કરવા માટે જે અગવડતા પડે છે તેનું મૂળ કારણ હોર્મોન પ્રોબ્લેમ જ છે. જેને કારણે માસિકધર્મ સમયે પૂરતા પ્રમાણમાં બગાડ જે બહાર ન નિકળી શકે તે ચોકલેટ રંગની ગાંઠ (સિસ્ટ) બની જાય છે અને તે જ કારણથી સ્ત્રી બીજ ન બનવાને કારણે ગર્ભ રહેવામાં પણ મુશ્કેલી તો નડે જ.

આપે જે કાંઇ પણ સારવાર કરાવી તેમાં બહારથી હોર્મોન આપીને આપની સિસ્ટમ સેટ કરવાનો પ્રયત્ન ચાલે છે અને તેમાં જો પ્રેગ્નન્સી રહી જાય તો વાંધો નહિં તો વધારે પડતા હોર્મોન જે ઇન્જેક્શન સ્વરૂપે લીધા છે તેને કારણે નાની મોટી સમસ્યા રહે.

આ સંદર્ભે બીજો સારો રસ્તો એ થઇ શકે કે અત્યારે જે સારવાર ચાલુ છે તેની સાથે આયુર્વેદ સારવાર પણ શરૂ કરી શકાય, જેમાં એલોપથી સાઇડ થી જે કાંઈ પણ ચાલે છે તેમાં કોઇ પણ ફેરફાર કર્યા વિના આયુર્વેદ સારવાર શરૂ કરી શકય. શક્ય છે કે આ દરમ્યાન જરૂર પડે તો લેપરોસ્થકોપી થકી ચોકલેટ સિસ્ટ કાધી નાંખવી પડે. પણ તે પછી તરત જ આયુર્વેદ દવાઓ શરૂ કરી શકાય અને જરૂર પડ્યે પંચકર્મ સારવાર કરીને ગર્ભધારણ માટે યોગ્ય દિશામાં આગળ વધવું જોઇએ.

આયુર્વેદ ની પંચકર્મ સારવારમાં ઉત્તરબસ્તિ પણ વધારે સારી રીતે પરિણામ આપે છે.

આપ આ માટે રૂબરૂ કન્સલ્ટીંગ માટે આવો તો વધારે વિસ્તારથી સમજાવી શકાશે.

આભાર,

વૈદ્ય નિકુલ પટેલ 
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

ફોન : +91-79-400 80844;  મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર  “AYU”  લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.lifecareayurveda.com/qa
http://www.hindi.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com/qa
http://www.gujarati.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com/qa

answered Dec 18, 2015 by admin

Related questions

1 answer 9,862 views
9,862 views asked May 4, 2014 in માસિક સંબંધી સમસ્યા by Maitrak Pratik
1 answer 14,126 views
14,126 views asked Jan 7, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 5,389 views
1 answer 2,206 views
2,206 views asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...